ઉત્તરાયણ

ઉંધીયું

Posted on Updated on

🕉

જાતજાતનાં શાકભાજી ભેગા કરીને ઉંધીયુ બનાવવું ભારતમાં સહેલું પડતું હશે પણ વિદેશમાં અને એય મર્યાદીત પ્રમાણમાં વસેલા અને રહેતા ભારતીયોની વસ્તી ધરાવતા નાના શહરોંમાં ઉંધીયું બનાવવું જ અજબની અનુભૂતિ છે. અમે જેદ્દાહ, રીયાદ કે દમ્મામ જેવા મોટા શહરોમાં નહીં પણ યાન્બુ નામનાં ડેવલપીંગ શહેરમાં રહીએ છીએ. જ્યાં ભારતીયોની સંખ્યા પણ અહીંનાં મોટા શહરોની કમ્પેરીઝનમાં મર્યાદીત છે. માટે અહીં ઉંધીયા માટે સારું શાકભાજી પણ મેળવવું મહેનતનું કામ છે. આપડા તહેવારો આવતા આપણને આપણું ફૂડ યાદ આવે એ સ્વાભાવીક જ છે. માટે અમે બહુ ચીકાસ કર્યા વગર (આ શાક મળ્યુંને પેલું રહી ગયું, ત્રણ પ્રકારની પાપડી નહીં તો એક) જે ઉપલબ્ધ હોય એમાં વાનગીઓ બનાવી લઈએ. અને ઘણીવાર તો સમય પણ અનુકૂળ ના હોય તહેવાર પ્રમાણે તો એવામાં વીકેન્ડને અનુકૂળ તહેવાર ઉજવી લઈએ. કહેવાય છેને કે જ્યા રહો ત્યાંના સમય પ્રમાણે પણ રહેવું.. તો આ એવું. ઘણીવાર તો એવુંય બને આજે મને એક વસ્તુ મળી એ જ વસ્તુ બીજા દિવસે ન પણ મળે.. માટેય જ્યારે મળે ત્યારે અને તે દિવસે એ વસ્તુનો લ્હાવો લઈ લેવો.. એ જીવનનાં અહીં રહીને અનુભવેલા સમયનો એક ભાગ છે!

વિદેશમાં રહીને લીલા લહેર નથી હોતા.. ઘણાં લોકોને ભ્રમ છે. આજનો જ તાજો દાખલો દઉં તો ઉંઘીયું જે તમને ત્યાં સરળતાથી મળી જાય છે એ અહીં અમને ખૂબ મહેનતથી પ્રાપ્ત થાય છે. સાવ સાચું કહું તો પહેલાં રંજ રહેતો થોડો પણ ..સમય જતાં અનેક વાતો સમજાતી હોય છે. માટે ખૂબ આનંદ છે. પોતે બધુ લાવી અને પોતાની જ થાળીમાં પોતાનું બનાવેલું ઉંધીયું કે કોઈ મનપસંદ વાનગી બગાડ કે નકામા આગ્રહ વગર કે કોઈના પણ ઉપર ડીપેન્ડ થયા વગર સ્વરૂચી અને સ્વેચ્છાએ પીરસીને આરોગવી .. એ પણ અનેરો આનંદ છે એવું અનુભવ્યું છે. માટે પણ ઈન્ડિયા આવીએ ત્યારે દરેક વસ્તુ, વ્યક્તિ વાતો કે કોઈએ પીરસેલી વાનગીની કિંમત સમજાય છે.

અહીં જ રળીને જ્યારે અહીંજ થાળીમાં ભાવતા ભોજન પીરસાય અને જો એ આપણે અહીં જ એનો સ્વાદ માણી શકીએ તો કદાચ આપણે જ્યાં છીએ ત્યાંનું સુખ માણી શકીએ એવી માન્યતાને આ ખાસ કરીને કોરોનાનાં સમયે દ્રઢ કરી છે.

સતત જો ભાગ ભાગ કરીશું તો તો માત્ર કેલેન્ડરની કોઈ એકાદ સીઝન જ બનીને રહી જશું. જે સીઝનમાં રાહ હોય ભારત જવાની.. અને બસ ૩૦ દિવસમાં આખા વર્ષને માણવાની!! જે ખરેખર વિચારીએ તો બીનવ્યાજબી છે.. તો પછી એમ ન કરતા જ્યાં છીએ ત્યાં જ રહીને થોડું આઘુ પાછુ કરતા ત્યાંને અને ત્યાંનું જ ન ઉજવીએ?!

ભારત બહાર રહેતા લોકોનાં પણ અનેક પ્રશ્નો હોય છે, ઘણી માનસીક ગડમથલો અને ભારત બહાર સેટલ થવાનાં પ્રશ્નો.. પણ આ બધા વચ્ચે જજૂમીને કઈ રીતે બહાર આવવું પણ અહીંની લાઈફસ્ટાઈલ શીખવી દે છે. ઉંધીયા માટેની શાકભાજી ભેગી કરવા જેવું જ😄.

યે ઝિંદગી હૈ દીવાનીમાં દીપિકા ડાયલોગ બોલે છે ને .. એવું.. “તો ચલો બની, જહાં હૈ વહીં સે ઉસ જગહકા મઝા લેતે હૈ ના?!”

આ અમારું થોડી સબ્જીમાં બનેલું પણ સ્વાદથી ભરપૂર .. “ઉંધીયું”

સૌને મકર સંક્રાંતિની શુભેચ્છા.

ધારાભટ્ટ-યેવલે

મકર સંક્રાંતિ

Posted on Updated on

વડીલો પાસે થી સાંભળેલુ આ પ્રમાણે..ભૂલચૂક માફ કરજો..


મકર સંક્રાંતિ

ભારત થી બધા નાં વ્હોટ્સ મેસેજીસ અને મકરક્રાંતિ અને ઉત્તરાયણ ની શુભેચ્છા પાઠવતા સંદેશા આજે સવાર પડતા જ શરૂ થઇ ગયેલા! કોઇ કોઇ તો ૨ દિવસ પહેલા થી મોકલતા હતા!
પણ ખરેખર આવતી કાલે છે, મકરસંક્રાંતિ! અમે કાલે જ ઉજવવા નાં છીએ. પણ કોઇ નુ ય મન નાં દુખે માટે મેં પણ બધા ને વિશ કરી દીધુ!
પણ વિચારવા જેવુ કે ૧૪જાન્યુઆરી નાં બદલે આ વખતે ૧૫ તારીખે કેમ છે મકર સંક્રાંતિ?! તો એની પાછળ છે ખગોળિય અને જ્યોતિષીય ધટના. કહેવાય છે કે સૂર્ય નું ઉત્તર દિશા તરફ નું પ્રયાણ થાય અને સૂર્યદેવ નું  મકર રાશિ માં પ્રવેશ થવાનુ, આ ઘટના ને મકરસંક્રાંતિ કહેવાય. સંક્રાંતિ બેસવા થી લઈ ને ૧૬ કલાક નો સમય એ જ ખરી સંક્રાંતિ. વળી જો સંક્રાંતિ સાંજે બેસે તો પુણ્યકાલ(પવિત્રસ્નાન સમય) એ સૂર્યોદય થી ૪-૫ કલાક હોય એટલે કે, સૂર્ય નાં ઉદય પછી જ બધા માંગલીક પ્રસંગો કરવા, જેમ કે પુણ્યસ્નાન, નિવેદ ધરવા, પૂજા, દાન વિગેરે. અને આ વખતે મકરસંક્રાંતિ ની ઘટના લગભગ આજે રાત્રે ૧૧:૪૫-૧૨:૦૧ દરમ્યાન માં ઘટશે. અને માટે મકરસંક્રાંતિ કાલે ઉજવાશે.

મારી દ્રષ્ટી એ આ સમય છે ચેઇન્જ નો. સૂર્ય સ્થિર રહી ને જાણે ધરતી ને ઘોળે છે! અને જે લાઈફ ચેન્જિસ અને નેચર ચેન્જિસ આવે છે, એને આપડે  ધરતી પર રહેતા લોકો સેલિબ્રેટ કરીએ છીએ. જો આ મૂવમેન્ટ માં ચેઈન્જ નાં આવે તો ધરતી પર નું જીવન દૂભર બને.મકરસંક્રાંતિ થી દિવસો મોટા અને રાત નાની બને છે.

પૌરાણીક ઘણી કથાઓ પ્રચલીત છે એમાં ની ખાસ કહુ તો,

૧)સૂર્ય જેવો મહાન ગ્રહ પણ આ દિને બધા જ વેર-ઝેર ભૂલી પોતાના પુત્ર શનિ નાં ધરે એને મળવા જાય છે! અને આ બન્ને નાં મળવા થી જે ખુશી નુ વાતાવરણ છવાઇ જાય છે, એ એક ‘સુખદ ચેઈન્જ કે મૂવમેન્ટ’ છે.

૨)દેવતાઓ ની રાત અને સૂવા નો  સમય સમાપ્ત થાય છે. મકરસંક્રાંતિ થી દેવતાઓ નો ૬ મહિના નો દિવસ શરૂ થાય છે.
આદિવસે મળેલુ મોત જન્મ-મરણ નાં બંધન માંથી મુક્તિ અપાવનારુ હોય છે. માટે પિતામહ ભિષ્મે આ દિવસ ની રાહ જોઈ ને આ દિવસે મૌત માંગેલુ.

૩)માઁ ગંગા આ દિવસે ભાગીરથ મુનિ નાં પૂર્વજો નાં કલ્યાણ અર્થે મુનિ ને અનુસરી ને આવેલા અને સાગર માં સમાઇ ગયેલા.   માટે ગંગા સ્નાન તથા સંગમ સ્નાન નું પણ સંક્રાતિ પર મહત્વ છે.

મહારાષ્ર્ટ માં આ દિવસે મહિલાઓ ખાસ કરી ને કાળા રંગ ના વસ્ર પહેરી ને(જેને શુભ મનાય છે આ દિવસે) અને એક બીજા ને હલ્દી-કુમકુમ લગાડી શુભેચ્છા પાઠવી, ભેટ આપી ને ઉજવે છે. કાળો કલર ઠંડી માં શરીરને ગરમ રાખે છે, માટે કાળો કલર પહેરવા માં આવે છે.  આ દિવસે તલ અને ગોળ થી બનાવેલી વસ્તુ પણ એક બીજા ને આપવા માં આવે છે. આની સાથે એક પ્રચલિત શુભેચ્છા પણ દેવા માં આવે છે કે”તિલ ગુડ ઘ્યા આણિ ગોડ ગોડ બોલા” મતલબ કે “ગળ્યુ ખાઈ ને ગળ્યુ બોલો” પતંગ પણ લોકો ચગાવે છે.

ગુજરાત માં પણ મકરસંક્રાંતિ નાં દિવસે પુજા, દાન નું મહત્વ છે. સાથે ઊંધીયુ, જલેબી, તલ નાં લાડુ, મમરાનાં લાડુ, બોર, શેરડી, પોપટા, વિગેરે સીઝન પ્રમાણે ખવાય છે. અને સૌથી મજા પતંગ પ્રેમીઓ પતંગ ઉડાડી ને  મકરસંક્રાતિ નાં આ તહેવાર ને માણે છે.

તો ચાલો, આપડે સૌ ખાઈ, પીને, પતંગ ઉડાડી ને મોજ થી આ  મકરસંક્રાંતિ નો તહેવાર ઉજવીએ.

-ધારાભટ્ટ-યેવલે

ગતિ નાં મૂળ માં છે સ્થિરતા

Posted on Updated on


ગતિસ્થિર

ગતિ ને જાણવા રહેવું પડે છે સ્થિર
બ્રહ્માંડ ની સ્થિરતા માં છે ગ્રહોં ગતિશીલ
સૂર્યની સ્થિરતા માં છે પ્રુથ્વી ગતિશીલ
સંતુલન માં જ તો છે જીવન ગતિસ્થિત

માઁ નાં ગર્ભ માં છે બાળક સ્થિર
માઁ ની સ્થિરતા માં બાળક ગતિશીલ
સાધના નાં ગર્ભ માં છે  સાધક સ્થિર
સાધક ની સ્થિરતા માં છે  સાધના ગતિશીલ

ગતિ ને જાણવા રહેવું પડે છે સ્થિર
બ્રહ્માંડ ની સ્થિરતા માં છે ગ્રહો ગતિશીલ
સૂર્ય ની સ્થિરતા માં છે પ્રુથ્વી ગતિશીલ
સંતુલન માં જ તો છે જીવન ગતિસ્થિત

-ધારાભટ્ટ-યેવલે