સાંજનાં વિચારો

Posted on Updated on

સાંજનાં સમયે અગાશી પર બેઠા બેઠા કટિંગ ચાનાં બે-ત્રણ ઘૂંટડાં સાથે વિચારોનું પણ હું મનોમંથન કરું. ક્યાંક જોયેલું, કોઈથી સાંભળેલું કે પછી પોતે અનુભવેલું.. એવા ઘણાં વિચાર આવે. એમાં નો એક..ઘણીવાર માણસ ખોટી જગ્યાએ ફસાઈ જતો હોય છે. એ જગ્યાનું સરનામું, ઠામ,ઠેકાણું કોઈપણ હોઈ શકે છે..જેમકે આર્થિક, માનસિક, શારિરીક, અણસમજણવાળી કે ગૈરસમજણની..પણ એક વાત એ દરેક માણસનાં હાથમાં હોય છે અને એ છે કે ખોટું ન કરવું. મતલબ ખોટી જગ્યાએ ફસાયા છતાં ખોટું ન કરવું.

બીજું કે..જ્યારે એ ખોટી જગ્યાએથી માણસ બહાર નીકળશે તો તેને કોઈ ખોટો રંજ પણ નહીં રહે. 


ધારાભટ્ટ-યેવલે

Leave a comment